નવી દિલ્હી: પી.એમ નરેન્દ્ર મોદી યુએઈથી શરૂ કરીને શુક્રવારે પાંચ દેશોના પ્રવાસ માટે પ્રયાણ કરશે, એમ સરકારે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગયા વર્ષે મુલતવી રાખવામાં આવેલી ભારત-નોર્ડિક સમિટ માટે મોદી નોર્વે જતા સમયે UAE, સ્વીડન અને નેધરલેન્ડની મુલાકાત લેશે. મોદી બાદમાં ઇટાલી પણ જશે. UAEમાં તેમના સ્ટોપઓવર દરમિયાન, PM રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. બંને નેતાઓને ઉર્જા સહયોગ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચાર વિનિમય કરવાની તક મળશે. પશ્ચિમ એશિયા ક્ષેત્ર પર યુદ્ધ શરૂ થયા બાદ ગલ્ફ દેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે.
You can share this post!
administrator


