નવી દિલ્હી: ઉત્તર દિલ્હીના મુકુંદપુર વિસ્તારમાં મંગળવારે સવારે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટને પગલે એક માળનું મકાન ધરાશાયી થતાં અનેક રહેવાસીઓ ફસાયા હોવાની આશંકા છે, એમ દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું.અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના ગલી નંબર 1, ભાગ-2, ઇશુ વિહાર, સ્મશાન ભૂમિ પાસે બની હતી.સવારે 9:37 વાગ્યે બ્લાસ્ટની જાણ કરતો એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે અધિકારીઓને જાણ કરી હતી કે કાટમાળ નીચે કેટલાય રહેવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે બ્લાસ્ટ થયો હતો અને એક ઈમારત ધરાશાયી થઈ હતી જેના કારણે કેટલાક લોકો ફસાયા હતા. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઓપરેશન શરૂ કર્યું હતું,” અધિકારીએ જણાવ્યું હતું.પાંચ બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવ્યા હતા, એમ તેમણે ઉમેર્યું હતું.
You can share this post!
administrator


